પ્રસંગ સરિતા.....

  • આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’
એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’
  •  ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’
ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’


  •  બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’
    ‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.
  • બાદશાહ નૌશેરવાનો મિજાજ ખુબ જ ગરમ હતો. નાની અમથી ભૂલની પણ તેઓ ફટકાની કે મોતની સજા કરી નાખતાં.
    એક વખત તેઓ ભોજન કરી રહ્યાં હતાં ત્યારે પીરસનારથી શાકનાં રસાનાં થોડાં છાંટા બાદશાહનાં કપડાં ઉપર ઊડ્યાં.
    બાદશાહ આ જોઇને ગુસ્સાથી લાલઘુમ થઇ ગયાં.
    આથી પીરસનારે બાકીનો બધો રસો પણ બાદશાહનાં કપડાં ઉપર છાંટી દીધો.
    બાદશાહ હવે વધારે ગુસ્સે થયાં અને બોલ્યાં, ‘…, તારી આ હિંમત ?’
    પીરસનારે કહ્યું, બાદશાહ, મને માફ કરજો, પણ આપનો ક્રોધ જોઇને હું સમજી ગયો કે મારો જાન હવે બચે તેમ નથી. આથી મેં જાણી જોઇને આપનાં કપડાં ઉપર બાકીનો બધો રસો પણ છાંટી દીધો. જેથી લોકો આ વાત જાણે ત્યારે કોઇ એમ ન કહે કે બાદશાહે ભૂલથી જરાં જેટલો રસો ઉડ્યો તેમાં તો ગુલામને મોતની સજા દઇ દીધી.
    આ સાંભળીને બાદશાહને તેનાં ગુલામ પ્રત્યે માન ઉપજ્યું અને તેને માફ કરી દીધો.
  •   ગરીબ માણસ હંમેશાં સ્વાદિષ્ટ ભોજન જ કરતો હોય છે. કારણ કે તેની ભૂખ જ તેનાં ભોજનમાં સ્વાદ ઉત્પન કરે છે અને આ ભૂખ તો ધનવાનો માટે હંમેશાં દુર્લભ જ હોય છે. – વિદુર નીતિ
    • સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.
    એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.
    આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.
    એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.
    ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.
    આવા હોય છે સતકર્મોનાં ફળ.
  •  એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
    હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.

    એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.
    એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.
    જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.
    •  

      આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનાં સદવચનો.

      પહેલવાનનાં ખંભે હાથ મૂકવા માત્રથી રોગી માણસ તંદુરસ્ત નથી બની જતો. બસ, એ જ રીતે માત્ર કાયાનાં સ્તરે જ ધર્મ કરતાં રહેવાથી આત્મા દોષમુક્ત નથી બની જતો.
      સજ્જનની વાતમાં સમંત થવામાં જેટલી તાકાત જોઇએ છે, એનાં કરતાં અનેકગણી તાકાત દુર્જનની વાતમાં અસમંત થવામાં જોઇએ છે.
      ગુરૂની કઠોરતા એ જ એની કરૂણા છે.
      સાગરનાં પાણીને કહેવાય છે તો પાણી જ, પણ એ પાણી તૃષા ઘટાડવાને બદલે વધારતું રહે છે. સંસારની ભૌતિક સામગ્રીઓને પણ કહેવાય છે તો સુખ જ, પણ એ તૃપ્ત કરવાને બદલે અતૃપ્તિ વધારતું રહે છે.
      કુરૂપ માણસનો જેમ દર્પણ દુશ્મન હોય છે તેમ દંભી માણસ આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે.
      ગુનો જો નથી જ કર્યો તો ભલે ઘરની બાજુમાં જે જેલ ઊભી થઇ ગઇ છે, ડરવાની કોઇ જ જરૂર નથી. પાપ જો કર્યું જ નથી તો કર્મસતાથી ડરવાની કોઇ જ જરૂર નથી.
      આ જગતમાં સરળમાં સરળ કામ કાંઇ હોય તો, એ છે મનને બગાડવાનું અને કઠિનમાં કઠિન કામ હોય તો, એ છે મનને સુધારવાનું.
      તમારા પરિવારનું જીવન સુધારવાનાં તમારા આવેશપૂર્ણ પ્રયાસો તમારૂ મરણ બગાડનારા ન બની રહે એની ખાસ કાળજી રાખજો.
      પુરૂષ જો સુધરે છે તો એ એકલો જ સુધરે છે, પણ સ્ત્રી જો સુધરે છે તો આખુ ઘર સુધરી જાય છે.
      આવક વધતી ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવામાં જે વ્યક્તિ સફળ બની જાય છે, એ વ્યક્તિ કાળઝાળ મોંઘવારીમાંય સમાધિ ટકાવી રાખવામાં સફળ બની રહે છે.
      દૂધ જોઇએ છે એ જરૂરિયાત. દૂધમાં સાકર જોઇએ છે એ ઇચ્છા અને દૂધમાં સાકર જોઇએ જ છે એ આકાંક્ષા.
      ગરીબ અને શ્રીમંત વચ્ચે સંપતિની માત્રામાં તફાવત હશે પણ અતૃપ્તિની માત્રામાં તો કોઇ જ તફાવત નથી.
      ગણિત અને ગણતરીમાં જ જે રમ્યા કરે છે એ અગણિતને પામવાથી વંચીત રહી જાય છે.
      સબંધમાં એકવાર શંકા ઊભી થઇ જાય છે પછી સહવાસની પ્રત્યેક પળ મજાનું કારણ ન બનતા સજાનું કારણ બની રહે છે.
      •  એકવાર તેમણે બ્રિટીશ આમસભા (Lower House)માં એવી ટિપ્પણી કરી હતી કે ‘ગૃહના અડધા સભ્યો મૂર્ખ (Idiot) છે!’ આ શબ્દ બિનસંસદીય હોઈ ‘શરમ…શરમ’ના પોકાર સાથે એ વિધાનના વિરોધમાં બધા સભ્યો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા. મિ. ચર્ચિલે બધાને શાંત થઈ જવાની વિનંતિ કરી અને આ શબ્દોમાં માફી માગી, ‘હું અત્યંત દિલગીર છું. હું મારા વિધાનને પાછું ખેંચું છું. હું તેને સુધારીને ફરી રજૂ કરું છું કે ગૃહના અડધા સભ્યો મૂર્ખ નથી!’ આખું ગૃહ તેમના વડાપ્રધાનને માફી માગતા જોઈને ઉશ્કેરાટમાં આવી ગયું હતું અને પાટલીઓ થપથપાવવાના અવાજ તથા તેમના ઘોંઘાટની વચ્ચે ચર્ચિલે સુધારેલા વિધાનના છેલ્લા શબ્દો તરફ કોઈનું ધ્યાન ગયું નહિ
      • થોડાક ટૂંકા વાક્યો

        … મારી જાતનો ગુલામ થતાં હું સાવધાન રહીશ, કારણ કે બધી ગુલામી કરતાં એ ગુલામી કાયમી, શરમભરેલી અને આકરામાં આકરી છે. – સેનેકા
        … જે માણસ પોતાની જાત ઉપર હકૂમત ચલાવી ન શકે તે સાચા અર્થમાં સ્વતંત્ર નથી. – પાયથાગોરસ
        … આપણી જાતને છેતરવા જેવું સહેલું કશું નથી, કારણ કે આપણે આપણી જાતની બાબતમાં જે ઇચ્છતા હોઇએ તે ઝટ માની લેતા હોઇએ છીએ. – ડેમોસ્થિનિસ
        … સ્વાર્થીપણુ એ એવો ઘૃણાપાત્ર દુર્ગુણ છે, કે જેને બીજામાં જોઇને કોઇ માફ નથી કરતું, અને જે પોતાનામાં ન હોય તેવો કોઇ માણસ નથી. – એચ. ડબલ્યુ. બીચર
        … તકલીફ ઉઠાવવાની અખૂટ તાકાત એ જ બુધ્ધિમતા છે. – કાર્લાઇલ
        … કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ તેમને કાંઇ કહેવાનું નથી એ નથી, પણ ઘણું કહેવાનું હોય છે, તે હોય છે. – બેકન
        … સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે. – વિનોબા ભાવે
        … સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી. – સેમ્યુઅલ બટલર
        … જો કોઇ વ્યક્તિ મને એકવાર દગો દે તો એ દગો દેનારે શરમાવા જેવું છે, પણ જો કોઇ મને બીજીવાર દગો દે તો એમાં મારે શરમાવા જેવું છે.
        … જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે. – પોર્ટસ
        … જહોન વોનામેકર તેનાં નામની બ્રાન્ડથી પ્રખ્યાત સ્ટોરનો સ્થાપક. તેણે કહ્યું છેઃ ‘લગભગ ત્રીસ વર્ષ પહેલાં હું શીખ્યો હતો કે કોઇનેય ઠપકો આપવો એ મૂર્ખામીભર્યું કામ છે કારણ કે હું પોતે મર્યાદાઓથી ભરેલો છું, તેનાં કારણે મને ઘણી મુશ્કેલીઓ પડી છે. તેથી હું ચિડાયા વગર એમ સમજતો કે ઇશ્વરે બધાને એકસરખી બુધ્ધિની ભેટ આપી નથી-કોઇને વધારે તો કોઇને ઓછી.’ – ડેલ કાર્નેગીનાં પુસ્તક How to Win Friends and Influence Peopleમાંથી.
         

શિક્ષકો માટે


ટાઇપ કરો join gnanganga 
અને મોકલી દો 09219592195 પર .આમ કરવાથી તમને લાઇફટાઇમ માટે ફ્રી ગુજરાત ના શૈક્ષણિક સમાચાર તમારા મોબાઇલ પર મળશે.
જલ્દી કરો. તમારા મિત્રો ને પણ જોડો.

સુવિચારોનું સરોવર GUJARATI SUVICHAR

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
–આરિફશા
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
–શરત્ચંદ્ર
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી
એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
–લોવેલ
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
–ચાણક્ય
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
–અર્લ વિલ્સન
જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
–ખલિલ જિબ્રાન
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
–લૂઈ જિન્સબર્ગ
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
–જનરલ એબ્રગોન
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.

–જેરેમી ટેસર

CLICK FOR KNOW

સફળ થવાનું રહસ્ય-કીડી જેવું મગજ કેળવો

સુવિચાર:



રૂમાલ આંખના આંસુ લૂછે છે, જ્યારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે


આપતા પહેલા એકવાર વિચાર કરવો, લેતા પહેલા બે વાર વિચાર કરવો અને માંગતા પહેલા હજારવાર


બંધ આંખે હું ચાલતો નથી, સબંધો વીશે હું કંઈ જાણતો નથી, હસીને લોકોને મળવું મારો શોખ છે, મળ્યા પછી
કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતો નથી.

જીવનમાં એક ખભો એવો હોવો જોઈએ જ્યાં માંથુ મુકીને રડી શકાય


પ્રેમ અને પાણી આપમેળે પોતાનો રસ્તો કરી લે છે.


.

LIFE IS DRAMA???






THAT'S THE PROBLEM OF OUR LIFE-

પૈસા ન હોય તો ઘરે બેસી શાકભાજી ખાય;

પૈસા હોય તો સરસ હૉટેલમાં ખાય.

પૈસા હોય તો કસરત કરવા સાઈકલ ચલાવે.

પૈસા ન હોય તો ખાવા માટે માઈલો ચાલે;

પૈસા હોય તો ખાધેલું પચાવવા માટે માઈલો ચાલે.

પૈસા ન હોય ત્યારે પરણવાનું મન થાય;

પૈસા હોય ત્યારે છૂટાછેડા લેવાનું મન થાય.

પૈસા ન હોય તો પત્નીને સેક્રેટરી બનાવે;

પૈસા હોય તો સેક્રેટરી પત્ની બની જાય.

પૈસા ન હોય ત્યારે શ્રીમંત હોવાનો ડોળ કરે;

પૈસા હોય ત્યારે ગરીબ હોવાનો ડોળ કરે.

શેરબજારમાં મંદીની વાત કરે; પણ સટ્ટો રમતો જાય;

પૈસો બધાં અનિષ્ટનું મૂળ’ હોવાની વાતો કરે; પણ પેસા માટે મરતો ફરે.

કહે, ‘ઉંચા પદમાં એેકલતા છે’; પણ ઉંચો હોદ્દો મેળવવા મરણિયા પ્રયત્નો કરે;

‘જુગાર–શરાબ ખરાબ’ છે તેમ કહે; પણ પોતે એેમાં ડૂબતો જાય.

ઓ મારા ભાઈ, ઓ મારા ભાઈ !

બોલે તેવું ક્યારેય માનતો ન હોય અને માનતો હોય તેવું બોલે નહીં;

ટૂંકમાં, તે સત્ય તો કહી જ ન શકે!!!

પૈસા ન હોય તો સાઈકલ પર કામે જાય;

લેખક: અજ્ઞાત